Wednesday 28 November 2018

ગર્ભ સંસ્કાર-GARBHSANSKAR

ગર્ભ સંસ્કાર by
ડો ઉન્નતિ ચાવડા
રાજકોટ
૯૮૨૫૪૬૩૩૯૪
ગર્ભસંસ્કાર શું છે..
ધાર્યા મુજબ તંદુરસ્ત બુદ્ધિશાળી દિવ્ય બાળક મેળવી શકાય ખરું?
માતા પિતા ના આચરણની, બાહ્ય વાતાવરણ ની અસર ગર્ભસ્થ શિશુ પર પડે ખરી?. સાથે સાથે માતાના ગર્ભાવસ્થા દરમિયાન આહાર,વિહાર,સ્વાસ્થ્ય, વિચારોની ઉપર કેવી પડે છે?
શ્રેષ્ઠ બાળક ના ગર્ભ સંસ્કાર અને સંસ્કારોના સિંચન માટે આજે જ ગર્ભ સંસ્કાર સમજીએ..બાળક નું પ્લાનિંગ કરતા દંપતિ અને ગર્ભવતી માતાએ જરૂર થી સંપર્ક કરવો..
આજનો યુગ શ્રેષ્ઠતાનો છે અને હર કોઈ માતા પિતા શ્રેષ્ઠ સંતાન ઈચ્છે છે.દરેક માતા પિતા પોતાનું બાળક તદુરસ્ત હોય,બુદ્ધિશાળી હોય,સંસ્કારી હોય,સુંદર હોય તેજસ્વી હોય ઓજસ્વી હોય તેવું ઈચ્છે છે..શુ આ સંસ્કાર પહેલે થી જ આપી શકાય છે?? જવાબ છે હા..
હા..ગર્ભસંસ્કાર દ્વારા આપના બાળક ને સંસ્કાર નું સિંચન કરી શકાય છે..
ગર્ભસંસ્કાર દ્વારા માતા ની સગર્ભાવસ્થામાં બાળક ના શારીરિક, માનસિક અને બૌદ્ધિક ભાવોનું સંવર્ધન કરી શ્રેષ્ઠ બાળક ને જન્મ આપી શકાય છે.
ગર્ભ સંસ્કાર બાળક ના ભવિષ્ય માટે અગત્ય નો ભાગ ભજવે છે.
ગર્ભ સંસ્કાર દ્વારા માતાના ગર્ભધાન પૂર્વેથી માંડીને જન્મ અને ત્યારબાદ જીવનમાં માતા-પિતાના વાત પિત કફની દોષો ની અશુદ્ધિઓથી માંડીને બાળકના જીવનમાં જાણ્યે અજાણે થતી અશુદ્ધિઓ દૂર થઈ શકે છે.
ગર્ભ સંસ્કાર એ ગર્ભમાંથી જ બાળકના ઘડતર તેમજ સંસ્કાર આપવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે.
દરેક માઁ પોતાનામાં રહેલા સંસ્કારોથી પોતાના બાળક માટે ગર્ભ થી મોક્ષ સુધી જવાનો માર્ગ તૈયાર કરી શકે છે. માતા સંસ્કારોનું સિંચન ગર્ભ અવસ્થા દરમિયાન પણ કરી શકે છે અને ત્યારે જ ગર્ભ સંસ્કાર નું મહત્વ વધી જાય છે અને આ સંસ્કારો માતા પોતાના ગર્ભ માં રહેલા બાળકને નવ મહિના દરમિયાન ગર્ભસંસ્કાર દ્વારા આપી શકે છે.
જેમ આર્કિટેક ઇમારત બનાવે તે પેહલા તેની તૈયારી રૂપે પ્રિન્ટ બનાવે છે તેમ ભાવિ માતાએ પણ પોતાના નવ મહિના પોતાના બાળકને સમર્પિત કરવા જોઈએ. જેનાથી બાળકમાં સત્યનિષ્ઠા, શાંતિ, એકાગ્રશીલતા,બુદ્ધિમત્તા, તેજ, ઓજ, શુભ ભાવ, વિનમ્રતા અને અન્ય ઈશ્વરીય ગુણોનું અવતરણ થઈ શકે છે.
ગર્ભસ્થ શિશુ ગર્ભમાં બધું જ સાંભળે છે, અનુભવ કરે છે અને બધું જ સમજે છે.જરૂર છે યોગ્ય માર્ગદર્શન ની,જે અમે આપીએ છીએ..
ડો ઉન્નતિ ચાવડા
આયુર્વેદ નિષ્ણાત
9825463394
Transform your journey of pregnancy with Ayurveda..



No comments:

Post a Comment

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

  મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં ...