Sunday 16 June 2019

સુવર્ણપ્રાશન

સુવર્ણપ્રાશન suvarnprashan
સુવર્ણપ્રાશન શું છે?
“સુવર્ણપ્રાશન" આયુર્વેદીય રસીકરણ થી બાળકને થતાં ફાયદાઓ ??
સુવર્ણપ્રાશન ક્યારે પીવડવાય??
જન્મેલ બાળક થી 12 વરસના બાળકને શા માટે આ પીવડાવવું જોઈએ
આવા ઘણા સવાલ માતાપિતા ના મનમાં હોય છે.
સુવર્ણપ્રાશન માટે આપ અમારી હોસ્પિટલ પર પર સંપર્ક કરી શકો છો અને આપ કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. 
વધુ માહિતી માટે સંપર્ક કરો.
ડો ઉન્નતિ ચાવડા
આયુર્વેદ નિષ્ણાત
9825463394
9733170560
આયુર્વેદ સૌથી પ્રાચીન અને સમગ્ર વિશ્વને ચિકિત્સા અંગે માર્ગદર્શન અને મહત્વના સિદ્ધાંતોની ભેટ ધરનાર શાસ્ત્ર રહ્યું છે. સુવર્ણપ્રાશન સંસ્કાર એ આયુર્વેદની દેન છે.
આપણે ત્યાં બાળક જન્મે પછી ડૉક્ટર વિવિધ પ્રકારના રોગોથી બાળકના રક્ષણ માટે વિવિધ સમયાંતરે રસી આપવા માટેનું સૂચન કરે છે અને આપણે તે અપાવવી પણ જોઇએ. 
આજરીતે મૂળભૂત ખ્યાલ હજારો વર્ષોથી આપણી પરંપરામાં વણાયેલો જ છે, પણ તે આપણને જ્ઞાત નથી. કોઇપણ રોગ સામે આપણાં શરીરમાં તે રોગ સામે લડવાની એક રોગપ્રતિકાર શક્તિ હોય છે અને તે જ આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે. જેની આ રોગપ્રતિકાર ક્ષમતા ઓછી તેની રોગ થવાની સંભાવના વધુ. આયુર્વેદમાં ઋષિઓએ આ સિદ્ધાંતની કલ્પના અને ઉપાય હજારો વર્ષો પહેલા જ વિચારેલ હતાં, તેમણે તો તેનાથી આગળ વધીને દરેક રોગ સામે બાળકને રક્ષણ મળી રહે તે માટે બાળકની રોગપ્રતિકાર ક્ષમતા જ બધી જાય તેવું આયોજન કરીને બધાં જ રોગો સામે એક જ શસ્ત્ર શોધી કાઢ્યું. અને તે એટલે સુવર્ણ - સોનું. અને તે માટે તેમણે સુવર્ણપ્રાશન સંસ્કાર ની સમાજને ભેટ આપી. ‘સુવર્ણ’ એટલે સોનું અને ‘પ્રાશન’ એટલે પીવડાવવું/ચટાડવું
સોનું જ શા માટે?સોનું એ માત્ર બાળકો માટે જ નહિં પણ કોઇપણ ઉંમરના વ્યકિત માટે તેટલું જ કારગત અને તે રોગપ્રતિકાર ક્ષમતા વધારનારું છે. આથી જ આપણાં જીવનવ્યવહારમાં પણ સોનાનું એક મહત્વનું સ્થાન છે. કારણ કે મનુષ્ય શરીર માટે સોનું એ એક શ્રેષ્ઠતમ ધાતુ છે. તેથી જ તો તેને શુભ ગણવામાં આવી છે. સોનું કોઈપણ રીતે શરીરમાં જવું જોઇએ. તેથી જ તો આપણે ત્યાં શુદ્ધ સોનાના દાગીના પહેરવાનો રિવાજ છે. સોનાનું દાન શ્રેષ્ઠ દાન ગણાય છે. એટલે જ તો ઘણી વખત મોટેરાં- વડીલો યુવાન બહેનો અને વહુઓ ને ટોકે છે કે ખોટા નહિં પણ સાચા (સોનાના) દાગીના જ પહેરો. કારણ, માત્ર એ જ કે તે દાગીના શરીર સાથે ઘસાઇને ચામડી દ્વારા શોષાઇને શરીરમાં જાય. તેથી જ તો પહેલાના રાજાઓ અને ધનાઢ્ય લોકો સોનાની થાળીમાં જ ભોજન લેતા હતાં. ઘરેણાં પહેરવાનો રિવાજ આપણે ત્યાં જાણ્યે - અજાણ્યે જ પ્રચલિત બન્યો કે બનાવ્યો, પણ તેની પાછળ આ જ દીર્ઘદ્રષ્ટિ રહી હતી. કારણ સોનું એ શરીરમાં રોગપ્રતિકાર શક્તિ તો વધારે જ છે પણ સાથે-સાથે માનસિક - બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે. તે શરીર, મન અને બુદ્ધિનું તેજ વધારનાર તેજસ્વી ધાતું છે. અને તેથી જ તો સમગ્ર દુનિયાનો વ્યવહાર પણ સોના પર જ ચાલે છે. આ પરંપરા પરથી પણ સોનાની અસરકારકતા અને આપણાં જીવનમાં તેના સ્થાનની મહત્તા આપણને સમજાય !!
સુવર્ણપ્રાશન ક્યારે?બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ ઘી સુવર્ણ ચટાડવું તેવી પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર. સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. આપણે આ કરીએ જ છીએ પણે તે શા માટે તે ખબર નથી !! 
આ સુવર્ણપ્રાશન માત્ર તે જ દિવસે ચટાડી દેવાથી પતી જતું નથી પણ તે તો તેની શરૂઆત છે, અને તે દિવસથી શરૂ કરીને ઓછામાં ઓછા છ મહિના સુધી દરરોજ આપવું જોઇએ અને જો આપને પોસાય તેમ હોય તો સમગ્ર બાલ્યાવસ્થા 12 વરસ સુધી પણ આપી શકાય. (આ સોનાનું મહત્વ એટલું બધું છે કે આપણે ત્યાં બાળક જન્મે ત્યારે સોનાનો દાગીનો લઇ જવાની પ્રથા આવી ગઇ.)
સુવર્ણપ્રાશન શું છે?પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ અને આયુર્વેદની ઉત્તમ ઔષધી જેવી કે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, શતાવરી, ચિત્રક, શતપુષ્પા, દંતી, નસોત્તર, અશ્વગંધા, બલાબીજ વગેરેનાં સંયોજનને મધ અને ગાયનાં ઘીમાં મેળવીને નિષ્ણાત વૈદ્યની દેખરેખ નીચે ” સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં જ બનાવીને આપવાનો ઉલ્લેખ છે.
1)“સુવર્ણપ્રાશન"થીબાળકની બુદ્ધિ અને યાદશક્તિ વધે છે.
2)જઠરાગ્નિ અને બળ વધારે છે.
3)પાચનશક્તિ સુધારી શરીરની શક્તિ વધારે છે. શરીરને પુષ્ટ કરે છે.
4)વર્ણ્ય એટલે કે શરીરનો વર્ણ ઉત્તમ બનાવનાર છે.તે બાળકને થતી ગ્રહબાધા, ગ્રહપીડાથી બચાવે છે. 5)વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનથી થનારા જુદા-જુદા રોગોનો નાશ કરનાર છે. 6)જન્મથી ૧૨ વર્ષ સુધીનાં બાળકને “સુવર્ણપ્રાશન” રોજ કરાવવામાં આવે તો અતિશય ઉત્તમ મેધાવાળો બને છે અને કોઇ પણ રોગથી પીડાતો નથી.
આ સુવર્ણ પ્રાશનનું આયુર્વેદ ના પ્રાચીન બાળરોગોના નિષ્ણાંત એવા કાશ્યપ ઋષિએ પોતાના કાશ્યપ સંહિતા ગ્રંથમાં આ મુજબ વર્ણન કર્યુ છે.
सुवर्णप्राशन हि एतत मेधाग्निबलवर्धनम् ।
आयुष्यं मंगलमं पुण्यं वृष्यं ग्रहापहम् ॥
मासात् परममेधावी क्याधिभिर्न च धृष्यते ।
षडभिर्मासै: श्रुतधर: सुवर्णप्राशनाद् भवेत् ॥
सूत्रस्थान काश्यपसंहिता
અર્થાત,
સુવર્ણપ્રાશન મેધા (બુદ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય (શરીરના વર્ણને ઊજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે.
સુવર્ણપ્રાશનથી બાળક એક માસમાં મેધાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાત ને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત્ તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે.છ માસ સુધીનો પ્રયોગ :- જો બાળકને સતત છ માસ સુધી “સુવર્ણપ્રાશન” સતત આપવામાં આવે તો તે શ્રુતધર બને છે એટલે કે સાંભળેલું તુરત જ યાદ રહી જાય એટલે કે યાદશક્તિ વધે છે. 
"સુવર્ણપ્રાશન” સંસ્કારથી ૧૨ વર્ષ સુધીની ઉંમરના દરેક બાળકને આપી શકાય છે અને આ પ્રયોગ સતત છ માસ સુધી કરવામાં આવે તો ઉપર પ્રમાણેના ફાયદા થાય છે. આમ, “સુવર્ણપ્રાશન” પુષ્યનક્ષત્રમાં કરવાનું વિધાન ખુબ જ ફલપ્રદ છે.
સુવર્ણપ્રાશન ( આયુર્વેદીય રસીકરણ) થી બાળકને થતાં ફાયદા : -બાળકની રોગપ્રતિકાત ક્ષમતા વધે છે, જેથી બાળક માંદું જ નથી પચતું, તંદુરસ્ત રહે છે.એટલે કે બાળકને એન્ટીબાયોટીક્સથી બચાવી શકાય છે.બાળકનો વિકાસ ઝડપી બને છેબાળકનો વાન ઉજળો બને છે.બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે.બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે.પાચન શકિત સુધરતાં પેટની તકલીફો રહેતી નથી.
આ જ વાતને બીજી રીતે જોઇએ તો,
સુવર્ણપ્રાશન એ..Strong immunity Enhancer : Suvarnaprashan builds best resistant power and prevents from infections and helps also from re-infections. બાળકોની રોગપ્રતિકાર શક્તિ વધારે જેથી બીજા બાળકોની સરખામણીમાં ઓછુ માંદું પડે છે અને તંદુરસ્ત રહેવાના કારણે તેને નાનપણથી જ એન્ટિબાયોટિક્સથી બચાવી શકાય છે.
Physical n mental development by Suvarnaprashan.
1) its makes your child physically n mentally strong n its Memory Booster too.
2) Suvarnprashan contains herbs develop child‘s Grasping power. Sharpness and Recall memory.
3) Active and Intellect 4) Suvarnprashan is a best appetizer and have digestive property too
5)Tone ups Skin colour
ભારતીય સંસ્કૃતિમાંના સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર. આ સંસ્કારનો મુખ્ય હેતુ રોગોની સામે રક્ષણ મેળવવા માટે શરીરમાં અંદરથી શક્તિ સંગ્રહીત થયેલી હોય તો વિવિધ રોગોના વાયરા સામે બાળક નિરોગી રહી શકે. તે માટે સુવર્ણપ્રાશન અત્યંત જરૂરી છે.સુવર્ણપ્રાશન આપનાં બાળકને જીવનમાં એકવાર તો અવશ્ય આપવું જ જોઇએ.કાશ્યપ સંહિતામાં દર્શાવેલ તમામ ઔષધોના સંયોજનથી અને શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં સુવર્ણ ભસ્મ દ્વારા પુષ્ય નક્ષત્રમાં જ આ સુવર્ણપ્રાશન બનતું હોઇ તેના માટે અગાઉથી જ ઓર્ડર કરવો જરૂરી બને છે, જેથી આપને હર હંમેશા તાજું જ મળી રહે. અમારે ત્યાંથી મળતી તમામ દવાઓ અમારે ત્યાં જ બનતી હોઇ તેની ગુણવત્તા જળવાઇ રહે છે, બાકીનું તો આપને પરિણામ જ જણાવશે.
આ સુવર્ણપ્રાશનના છ માસના પ્રયોગને ધ્યાનમાં રાખીને છ માસ સુધી દરરોજ એક બાળકને ચટાડી શકાય તેવા પ્રમાણમાં પેકિંગ તૈયાર કરેલ છે, જેના માટે આપ અમારી હોસ્પિટલપર સંપર્ક કરી શકો છો અને આપ કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. 1)સુવર્ણપ્રાશન પણ બજારમાં અને વિવિધ લોકો પિવડાવે છે, આપની આસપાસ પણ તે જોવા મળશે જ. જે માત્ર મહિનામાં એક જ વાર પુષ્યનક્ષત્રના દિવસે પીવડાવવાથી ઉપરના શ્લોક મુજબ ફાયદો મળતો નથી. 2). ઘણી જગ્યાએ 20 કે 30 રુપિયામાં મહિનો ચાલે તેવી બોટલ આપે છે પણ 30000 રૂ. તોલુ સોનુ 50/100 રુપિયામાં કેટલું આવે અને તે કેટલી અસર કરે તે સમજી શકાય છે.. માટે સારી ગુણવત્તા અને અસરકારકતા પર જ ફાયદો આધાર રાખે છે.
3) સુવર્ણપ્રાશનને કોઇપણ સમયે નિયમિત રીતે દિવસમાં એક જ વાર આપવાનું છે, અને તે કોઇપણ બિમારીમાં કે કોઇપણ દવા ચાલતી હો તો પણ આપી શકાય છે.
4) જો આપ આપના અથવા આપના સંબંધીના બાળકને જન્મથી જ આપવા માંગતા હો તો છેલ્લા મહિનામાં જ મેળવી ને રાખી લેવું જોઇએ, જેથી બાળક ને આ સંસ્કાર સારી રીતે કરી શકાય.વધુ માહિતી માટે સંપર્ક કરો.
ડો ઉન્નતિ ચાવડા
આયુર્વેદ નિષ્ણાત
રાજકોટ ગુજરાત
9825463394
977317056

No comments:

Post a Comment

મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર

  મોટા બાળકોની પથારીમાં પેશાબ અને આયુર્વેદ સારવાર બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સહજ બાબત છે.પરંતુ જેમ જેમ બાળકની ઉમર વધતાં ...